Tuesday, 3 November 2015

ગુજરાતી સાહિત્ય

નરસિંહ અને મીરાં માટે ‘ખરા ઈલ્મી, ખરા શૂરા’ વિશેષણો કોણે વાપર્યાં છે ?
કવિ કલાપી

નરસિંહ મહેતાએ કોના પર હૂંડી લખી હતી ?
શામળશા શેઠ (શ્રીકૃષ્ણ)

નરસિંહ મહેતાએ પ્રભાતિયામાં શેનો મહિમા ગાયો છે ?
જ્ઞાન

નરસિંહ મહેતાથી શરૂ થયેલા યુગને કયા યુગ તરીકે ઓળખવામાં આવે છે ?
ભકિતયુગ

નરસિંહ મહેતાની દીકરીનું નામ શું હતું? .
કુંવરબાઇ

નરસિંહ મહેતાનું જન્મસ્થળ કયું?
તળાજા

નરસિંહ મહેતાને જૂનાગઢના કયા રાજવીના સમકાલીન ગણવામાં આવે છે ?
રા'માંડલિક

નરસિંહના મોટાભાગના પદો કયા છંદમાં રચાયા છે?
ઝૂલણા છંદ

નરસિંહની રચનાઓ મુખ્યત્વે કેવા પ્રકારની છે ?
પદ

નરસિંહરાવ દિવેટિયાની ‘સ્મરણસંહિતા’ કરૂણપ્રશસ્તિ કોને ઉદ્દેશીને રચાઇ છે?
સ્વર્ગસ્થ પુત્ર નલિનકાન્તને

નરસિંહરાવ દીવેટિયાના કાવ્યસંગ્રહનું નામ શું છે?
કુસુમમાળા

નરસિંહે પોતાનાં પદોમાં મુખ્યત્વે કયો માત્રામેળ છંદ પ્રયોજયો છે ?
ઝૂલણાં

નર્મદ - અર્વાચીનોમાં આદ્ય’ જીવનચરિત્રના લેખકનું નામ જણાવો.
કનૈયાલાલ મુનશી

નર્મદ રચિત સુપ્રસિદ્ધ કવિતા ‘જય જય ગરવી ગુજરાત...’ સૌપ્રથમ ગુજરાતી ભાષાના કયા શબ્દકોષમાં પ્રકાશિત થઇ હતી?
નર્મકોશ

નર્મદના કયા કાવ્યમાં એનું આત્મચરિત્ર નિરૂપાતું જોવા મળે છે ?
વીરસિંહ

નર્મદની કવિતાનો એક વિશિષ્ટ વિષય કયો હતો?
વતનપ્રેમ

નર્મદની કાવ્યભાવના પર કયા પશ્ચિમી સાહિત્યકારનો પ્રભાવ જોવા મળે છે?
કવિ વડર્ઝવર્થ

નવ ભાગમાં વિસ્તરેલો ‘ભગવદગોમંડલ’ શબ્દકોશ કયા રાજવીએ તૈયાર કરાવ્યો હતો?
મહારાજા ભગવતસિંહજી

નવલકથા ‘પેરેલિસિસ’ના લેખક કોણ છે ?
ચંદ્રકાન્ત બક્ષી

નવલરામ કયું સામાયિક ચલાવતા હતા?
ગુજરાતી શાળાપત્ર

નંદબત્રીસી’ અને ‘સિંહાસન બત્રીસી’ પદ્યવાર્તાઓ કોણે લખી છે ?
કવિ શામળ

નારાયણ દેસાઇ લિખિત ગાંધીજીના બૃહદ્ જીવનચરિત્રનું નામ શું છે?
મારું જીવન એ જ મારી વાણી

ન્હાનાલાલ કવિ કયા જાણીતા કવિના પુત્ર હતા?
કવિ દલપતરામ

પન્નાલાલ પટેલની કઇ નવલકથા પરથી ફિલ્મ બની છે?
માનવીની ભવાઇ

પન્નાલાલ પટેલની કઇ પ્રસિદ્ધ નવલકથાને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો છે?
માનવીની ભવાઇ

પાછળ પ્રવાસીઓમાં ઘણા મિત્રો પણ હતા, કોણે કર્યો પ્રહાર મને કંઇ ખબર નથી’ - ગઝલના લેખક કોણ છે?
આદિલ મન્સુરી

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા’ - જેવા જાણીતા ગીતનાં રચયિતા કોણ છે ?
હરિન્દ્ર દવે

પુરાણોમાંથી ગુજરાતી ભાષામાં પદ્યરૂપાંતર કરનાર કવિ કયા હતા?
કવિ ભાલણ

પૃથ્વી છંદને પ્રવાહી બનાવવાનો પ્રયોગ કયા કવિએ કર્યો છે?
બળવંતરાય ક. ઠાકોર

પેન્સિલ કલર અને મીણબત્તી’ નાટકના લેખક કોણ છે?
આદિલ મન્સુરી

પોતાના છપ્પા દ્વારા સામાજિક કુરિવાજો પર કટાક્ષ કરનારા અખા ભગતની પ્રતિમા અમદાવાદના કયા વિસ્તારમાં મૂકવામાં આવેલી છે?
ખાડિયા

ગુજરાતી સાહિત્ય

ગૂર્જરી ભૂ’ કાવ્યના રચયિતા કોણ છે?
સુંદરમ્

ગોવર્ધનરામે પોતાની પુત્રીનું ચરિત્ર કયા પુસ્તકમાં આલેખ્યું છે?
લીલાવતી જીવનકલા

ગોહિલવાડનાં કોળી સ્ત્રી-પુરુષો હાથમાં સૂપડાં, સાવરણી, સૂંડલાં, ડાલાં, સાંબેલાં લઈ વર્તુળાકારે ફરીને કયુ નૃત્ય કરે છે?
ઢોલો રાણો

ગોળમેજી પરિષદમાં જવા ગાંધીજીને ઉદ્દેશીને શ્રી મેઘાણીએ કયું કાવ્ય લખ્યું હતું?
છેલ્લો કટોરો

ઘનશ્યામ’ કયા મહાન ગુજરાતી સાહિત્યકારનું ઉપનામ છે?
કનૈયાલાલ માણેકલાલ મુનશી

ઘૂમકેતુ’ તખલ્લુસથી જાણીતા થયેલા સાહિત્યકારનું નામ શું છે?
ગૌરીશંકર જોષી

ચકોર’ તરીકે ઓળખાતાં ગુજરાતના જાણીતા કાર્ટૂનિસ્ટનું નામ જણાવો.
બંસીલાલ વર્મા

છંદોલય બૃહત’ કયા જાણીતા કવિનો કાવ્યસંગ્રહ છે?
કવિ નિરંજન ભગત

છાપખાનું શરૂ કરનાર પ્રથમ ગુજરાતી તરીકે કોણ હતા?
દુર્ગારામ મહેતા

છેક ૧૮૭૫ની સાલમાં ‘દેશી કારીગરીને ઉત્તેજન’ પુસ્તક કોણે લખ્યું હતું?
હરગોવિંદદાસ કાંટાવાલા

જનનીની જોડ સખી, નહ જડે રે લોલ’ – જાણીતી કાવ્યપંકિતના રચયિતા કોણ છે?   
દામોદર ખુશાલદાસ બોટાદકર

જનમટીપ’ કોની પ્રસિદ્ધ કૃતિ છે?  
ઈશ્વર પેટલીકર

જય જય ગરવી ગુજરાત’ કાવ્ય રચના કોની છે?
કવિ નર્મદ

જયભિખ્ખુ પુરસ્કાર’ ગુજરાત સરકાર તરફથી શેના માટે એનાયત કરવામાં આવે છે?
માનવકલ્યાણના ક્ષેત્રે ઉમદા પ્રવૃત્તિ કરવા બદલ

જયાં જયાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની’ - પંકિત કયા કવિની છે?
કવિ કલાપી

જયાં જયાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત...’ કવિતા કોણે લખી છે?
કવિ ખબરદાર

જયાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું". - આવી પ્રતિજ્ઞા કોણે લીધી હતી?
મહા કવિ પ્રેમાનંદ

જયોતિસંઘની સ્થાપના કોણે કરી હતી?
મૃદુલા સારાભાઈ

જસમા ઓડણ’, ‘ઝૂંડા ઝૂલણ’ અને ‘રાજા દેઘણ’ જેવા વેશો લખનાર કોણ હતા ?
અસાઈત ઠાકર

જાણીતા ગઝલકાર શૂન્ય પાલનપુરીનું મૂળ નામ શું છે?
અલીખાન બલોચ

જિગરનો યાર જુદો તો બધો સંસાર જુદો છે’ - આ ગઝલ કોની છે?
બાલાશંકર કંથારિયા

જીવનમાં ભૂખ ભૂંડી છે ને તેથી ય ભૂંડી તો ભીખ છે’ - પન્નાલાલ પટેલની કઇ મહાન નવલકથાનો આ વિચાર છે?
માનવીની ભવાઇ

જૂનું તો થયું રે દેવળ જૂનું તો થયું’ ભજન કોના દ્વારા ગવાતું હતું?
મીરાં

જે રચનામાં કોઈ મહાન ઐતિહાસિક વ્યકિતનું ચરિત્ર આલેખાયું હોય તેને શું કહે છે ?
પ્રબંધ

જેને રામ રાખે તેને કોણ ચાખે’ નામનું પદ કોણે રચ્યું છે ?
કવિ ધીરો

જ્ઞાનપીઠ પારિતોષિક વિજેતા પન્નાલાલ પટેલનો જન્મ કયાં થયો હતો ?
માંડલી

જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ છે?
ઉમાશંકર જોષી

જ્ઞાની કવિ અખાનું જન્મસ્થળ કયું છે?
જેતલપુર

ઝવેરચંદ મેઘાણી કયા ગુજરાતી દૈનિક સમાચારપત્રમાં પત્રકાર હતાં?
ફૂલછાબ

ઝવેરચંદ મેઘાણીએ સ્વતંત્રતા અને પરતંત્રતાને લગતા સંગ્રામગીતો કયા કાવ્યસંગ્રહમાં લખ્યા હતા ?
સિંધુડો

ઝવેરચંદ મેઘાણીના કયા પુસ્તકમાં મૂકસેવક તરીકે પૂજય દાદા રવિશંકર મહારાજનું વ્યકિતત્ત્વ સુપેરે પ્રગટ થાય છે? માણસાઇના

ઝવેરચંદ મેઘાણીનું ઉપનામ શું હતું?
સુકાની

ઝવેરચંદ મેઘાણીને ‘રાષ્ટ્રીય શાયર’નું બિરુદ અપાવનાર લોકપ્રિય કાવ્યસંગ્રહ કયું છે?
યુગવંદના

ટૂંકી વાર્તા એટલે તણખો’ આ વિધાન કોનું છે?
ગૌરીશંકર ત્રિપાઠી
ટેબલ ટેનિસમાં ગુજરાતનો નંબર ૧ ખેલાડી કોણ છે ?
પથિક મહેતા

ટોલ્સટોયની ‘વૉર એન્ડ પીસ’ મહાનવલનો ગુજરાતી અનુવાદ કોણે કર્યો છે?
જયંતિ દલાલ

તને સાંભરે રે, મને કેમ વીસરે રે‘ ના કવિ કોણ છે?
પ્રેમાનંદ

તરણા ઓથે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહીં’ - જેવી સુંદર રચનાના રચયિતાનું નામ જણાવો.
કવિ ધીરો

તારી આંખનો અફીણી’ - ગીત કોણે લખ્યું?
વેણીભાઇ પુરોહિત

તારે માથે નગારા વાગે મોતના રે’ - પદના રચયિતા કોણ છે ?
દેવાનંદ સ્વામી

ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના...’ રચના કોની છે ?
નિષ્કુળાનંદ સ્વામી

ત્રિભુવનદીપક પ્રબંધ’ના કવિનું નામ જણાવો.
જયશેખર સૂરિ

થોડા આંસુ, થોડા ફૂલ’ નામે આત્મકથા કોણે લખી છે ?
જયશંકર સુંદરી

દત્તાત્રેય બાલકૃષ્ણને સૌ કયા નામે ઓળખે છે?
કાકાસાહેબ કાલેલકર

દયારામ કાવ્યના કયા પ્રકાર માટે જાણીતા છે?
ગરબી

દર્શક’ ઉપનામ કયા વિખ્યાત સાહિત્ય સર્જકનું છે?
મનુભાઇ રાજારામ પંચોળી

દર્શક’ની કઇ મહાન પ્રેમકથા પરથી ગુજરાતી ફિલ્મ બની છે?
ઝેર તો પીધાં છે જાણી જાણી

દર્શક’નું કયું ત્રિઅંકી નાટક મહાભારત પર આધારિત છે?
પરિત્રાણ

દલપતરામના ‘વેનચરિત્ર’માં સ્ત્રીજીવનની કઇ સમસ્યાની વાત છે?
બાળવિધવાની સમસ્યા

દલપતરામના એક જાણીતા નાટકોનું નામ આપો.
મિથ્યાભિમાન

ગુજરાતી સાહિત્ય

ગુજરાતી લોકસાહિત્યના વિસ્તાર માટે કઈ કોમનો સિંહફાળો છે ?
ભાટચારણ

ગુજરાતી વર્નાકયુલર સોસાયટી’ આજે કયા નામે ઓળખાય છે?
ગુજરાત વિદ્યાસભા

ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા કયું સામયિક પ્રકાશિત થાય છે?
શબ્દ સૃષ્ટિ

ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન બદલ કયો સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવે છે?
રણજિતરામ સુવર્ણચંદ્રક

ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક કોણ હતા ?
રણજિતરામ વાવાભાઇ

ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર કયું છે? પરબ

ગુજરાતી સાહિત્ય મંડળની સ્થાપના કયારે કયાં થઇ?
૧૯૨૩-સુરત

ગુજરાતી સાહિત્યના કયા કવિ જન્મથી જ અંધ હતા ?
કવિ પ્રીતમ

ગુજરાતી સાહિત્યના વિશિષ્ટ કલાસ્વરૂપ આખ્યાનને ઘાટ કયા મહાકવિએ આપ્યો?
કવિ પ્રેમાનંદ

ગુજરાતી સાહિત્યનાં કયા મહાન સર્જક મુંબઈ રાજયનાં ગૃહપ્રધાન અને મુખ્ય ન્યાયાધીશ રહ્યા હતા?
કનૈયાલાલ મુનશી

ગુજરાતી સાહિત્યની પ્રથમ ઐતિહાસિક નવલકથા કઈ છે ?
કરણઘેલો

ગુજરાતી સાહિત્યની પ્રથમ કરુણપ્રશસ્તિ ‘ફાર્બસ વિરહ’ના રચયિતા કોણ છે ?
કવિ દલપતરામ

ગુજરાતી સાહિત્યની પ્રથમ પરિષદ કયાં અને કયારે યોજાઇ હતી?
અમદાવાદ-૧૯૦૫

ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ નવલિકાનું નામ શું હતું ?
ગોવાલણી

ગુજરાતી સાહિત્યનું પ્રથમ રૂપાંતરિત નાટક કયું છે?
લક્ષ્મી

ગુજરાતી સાહિત્યને દેશાભિમાન અને વતનપ્રેમના સૌપ્રથમ કાવ્યો કોણે આપ્યા?
કવિ નર્મદ

ગુજરાતી સાહિત્યનો પ્રથમ વિવેચનગ્રંથ કયો ગણાય છે?
નવલગ્રંથાવલિ

ગુજરાતી સાહિત્યમાં ‘આખ્યાનનો પિતા’ કોણ ગણાય છે ?
કવિ ભાલણ

ગુજરાતી સાહિત્યમાં ‘દ્વિરેફ’ની વાર્તાઓ મૂળ કયા લેખકનું સર્જન છે?
રા. વિ. પાઠક

ગુજરાતી સાહિત્યમાં ‘હડૂલા’ નામનો કાવ્યપ્રકાર રચનાર કોણ છે ?
કવિ દલપતરામ

ગુજરાતી સાહિત્યમાં કોની પદ રચનાઓ ‘કાફી’ તરીકે પ્રસિદ્ધ થઇ છે ?
કવિ ધીરો

ગુજરાતી સાહિત્યમાં બાળકાવ્યો લખવાની શરૂઆત કોણે કરી હતી?
કવિ દલપતરામ

ગુજરાતી સાહિત્યમાં મણિલાલ દ્વિવેદી માટે કયો શબ્દપ્રયોગ વપરાય છે?
અભેદ માર્ગનાં પ્રવાસી

ગુજરાતી સાહિત્યમાં શ્રેષ્ઠ હાસ્યલેખક તરીકે કોની ગણના થાય છે?
જયોતિન્દ્ર હ. દવે

ગુજરાતી સાહિત્યમાં સૉનેટ કાવ્ય રચના વિકસાવવામાં કોનો વિશેષ ફાળો છે?
બળવંતરાય ક. ઠાકોર

ગુજરાતી હાસ્યસાહિત્યના ‘હાસ્ય સમ્રાટ’ નું બિરૂદ કોને મળ્યું છે?
જયોતીન્દ્ર હ. દવે

ગુજરાતીના મહાન સંગીતકાર અવિનાશ વ્યાસે સૌપ્રથમ કયા નાટકમાં સંગીત આપેલું ?
લવકુશ પાને સીતાત્યાગ

ગુજરાતીમાં સૌપ્રથમ કડવાબદ્ધ આખ્યાન રચવાની શરૂઆત કોણે કરી ?
ભાલણ

ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સ્હેજે’ - આ ગઝલ કોણે લખી છે?
બાલાશંકર કંથારિયા

ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી હતી?
મહાત્મા ગાંધીજી

ગુજરાતી સાહિત્ય

એલેકઝાન્ડર કિન્લોક ફાર્બસના સહયોગથી કવિ દલપતરામે કઈ સંસ્થાની સ્થાપના કરી?
ગુજરાત વર્નાકયુલર સોસાયટી

એલેમ્બિક કેમિકલ વર્કસ કંપની લિમિટેડની સ્થાપના કોની સહાયથી થઇ હતી?
ત્રિભુવનદાસ ગજજર

ઐતિહાસિક દૃષ્ટિએ અર્વાચીન ગુજરાતી સાહિત્યના અગ્રણી સર્જક કોણ ગણાય છે ?
કવિ દલપતરામ

કટોકટી સમયે સેન્સરશીપ સામેની લડાઇમાં કયા ગુજરાતી સાપ્તાહિકે મહત્વની ભૂમિકા ભજવેલ હતી?
સાધના સાપ્તાહિક

કનૈયાલાલ માણેકલાલ મુનશીની કઇ ત્રણ ઐતિહાસિક નવલકથાઓમાં ગુજરાતના ઇતિહાસનું દર્શન કરાવે છે?
પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ, રાજાધિરાજ

કનૈયાલાલ મુનશીએ ‘ગુજરાત અને તેનું સાહિત્ય’ - એ વિષય કયા અંગ્રેજી ગ્રંથમાં ચર્ચ્યો છે?
ગુજરાત એન્ડ ઈટ્સ લિટરેચર

કનૈયાલાલ મુનશીના મત મજુબ નરસિંહ મહેતા કયા સૈકામાં થઈ ગયા?
૧૬મા સૈકા
કનૈયાલાલ મુનશીની મહાનવલકથા ‘કૃષ્ણાવતાર’ કેટલા ભાગમાં વિભાજીત છે?
આઠ

કયા કવિ ગરબીઓના કવિ તરીકે પ્રસિદ્ધિ પામ્યા છે ?
કવિ દયારામ

કયા જાણીતા ચિત્રકારે સાંસ્કૃતિક મેગેઝીન ‘કુમાર’ની શરૂઆત કરી હતી?
રવિશંકર રાવળ

કયા જાણીતા નાટ્યકારે સાહિત્યકૃતિ ‘થોડા આંસુ, થોડા ફૂલ’ રચી?
જયશંકર સુંદરી

કયા મહારાષ્ટ્રીયન કવિએ ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે ?
બાપુસાહેબ ગાયકવાડ

કયા શિવમંદિરમાં નરસિંહ મહેતાને ‘રાસદર્શન’ થયા હતા?
ગોપનાથ મહાદેવ (જૂનાગઢ)

કલાપી’ના ઉપનામથી જાણીતા ગુજરાતના કવિનું નામ શું હતું?
સૂરસિંહજી તખતસિંહ ગોહિલ

કવિ ‘કાન્ત’ નું મૂળ નામ શું છે?
મણિશંકર રત્નજી ભટ્ટ

કવિ ‘સુંદરમ્’નું મૂળ નામ શું છે ?
ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર

કવિ અખો અમદાવાદમાં કયાં રહેતા હતા?
દેસાઇની પોળ, ખાડિયા

કવિ ઉમાશંકર જોશીના કયા કાવ્યસંગ્રહને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો છે?
નિશીથ

કવિ કલાપીનો કયો કાવ્યસંગ્રહ ખૂબ પ્રસિદ્ધ છે?
કલાપીનો કેકારવ

કવિ કાન્તનું મૂળ નામ શું છે ?
મણિશંકર રત્નજી ભટ્ટ

કવિ દયારામના સર્જનમાં સૌથી વધારે કઇ કૃતિઓ જોવા મળે છે?
ગરબી

કવિ દયારામની પદરચનાઓ કયા નામથી વિખ્યાત છે?
ગરબી કાવ્ય

કવિ દયારામનું બાળપણનું નામ શું હતું ?
દયાશંકર

કવિ દયારામને ગુરુ ઈચ્છારામ ભટ્ટે કયો મંત્ર આપ્યો હતો?
શ્રી કૃષ્ણઃ શરણં મમ

કવિ દલપતરામનો જન્મ કયાં થયો હતો ?
વઢવાણ

કવિ દલપતરામે સ્વામિનારાયણ સંપ્રદાયના કયા સંત પાસેથી ધર્મદીક્ષા લીધી હતી?   
ભૂમાનંદ સ્વામી

કવિ નર્મદનું તખલ્લુસ જણાવો.
પ્રેમશોર્ય

કવિ નર્મદને ‘અર્વાચીનોમાં આદ્ય’ એવું કહી કોણે બિરદાવ્યા છે?
કનૈયાલાલ મુનશી

કવિ નર્મદને કયું બિરુદ આપવામાં આવ્યું છે ?
વીર

કવિ નર્મદનો જન્મ કયાં અને કયારે થયો હતો?
સુરત-૧૮૩૩

કવિ નર્મદે કયા સામયિક દ્વારા સમાજ સુધારાની દાંડી પીટી હતી?
ડાંડિયો

કવિ નર્મદે જગતનો ઈતિહાસ કયા નામે લખ્યો છે ?
રાજયરંગ

કવિ નર્મદે મુંબઈની કઈ શાળામાં અભ્યાસ કર્યો હતો?
એેલ્ફિન્સ્ટન

કવિ નાકરનું વતન કયું હતું?
વડોદરા

કવિ પદ્મનાભે કઈ કૃતિની રચના કરી છે ?
કાન્હડદે પ્રબંધ

કવિ બળવન્તરાય ઠાકોરના જાણીતા સૉનેટસંગ્રહનું નામ આપો.
ભણકારા

કવિ બોટાદકરનું પૂરું નામ શું છે ? 
દામોદર ખુશાલદાસ બોટાદકર

કવિ ભટ્ટીએ કયા મહાકાવ્યની રચના કરી હતી?
રાવણવધ

કવિ ભાલણનું મૂળ નામ શું હતું?
પુરષોત્તમ ત્રિવેદી

કવિ ભાલણે જેનો ગુજરાતીમાં સારાનુવાદ કર્યો છે તે ‘કાદંબરી’ના રચયિતા કોણ હતા?
બાણભટ્ટ

કવિ ભીમ કોના શિષ્ય હતા ?
કવિ ભાલણ

કવિ ભોજા ભગતની પદરચના કયા નામે ઓળખાય છે?
ચાબખા

કવિ સુન્દરમ્ ના પ્રથમ કાવ્ય સંગ્રહનું નામ જણાવો.
કોયા ભગતની કડવી વાણી

કવિતા આત્માની અ-મૃત કલા છે’ - તેવું કયા વિવેચકે કહ્યું છે?
આનંદશંકર બાપુભાઇ ધ્રુવ

કવિશ્વર દલપતરામે સૌપ્રથમ કયો નિબંધ લખ્યો હતો ?
ભૂતનિબંધ

કહ્યું કથે તે શાનો કવિ? શીખી વાતને શાને નવી’ - આ કાવ્યપંકિત કયા કવિની છે ?
કવિ શામળ

કંઈક લાખો નિરાશામાં, અમર આશા છુપાઇ છે’ ના કવિ કોણ છે?
મણિલાલ ન. દ્વિવેદી

કાકાસાહેબ કાલેલકરની માતૃભાષા કઇ હતી?
મરાઠી

કાકાસાહેબ કાલેલકરે લખેલ ‘જીવનનો આનંદ’ અને ‘રખડવાનો આનંદ’ ગ્રંથનો સાહિત્યપ્રકાર જણાવો.
લલિત નિબંધ

કાગવાણી’ના રચયિતા કોણ હતા?
દુલા ભાયા કાગ

કાનકડિયા પોતાના માળા શેના વડે બાંધે છે?
પોતાના થૂંક વડે

કાવ્ય વાચનનો વિષય નથી, શ્રવણનો છે’ - આ વિધાન કોણે કર્યું છે?
રામનારાયણ પાઠક

કાંકરિયા તળાવ ઉપર એક માત્ર મંદિર કયા સંતે બનાવેલું છે?
સંત દાદુ દયાલ

ગંગા સતીના ભજનો કોને ઉદ્દેશીને લખાયા હતા?
પાનબાઇ

ગંગાસતીની પુત્રવધૂનું નામ શું હતું ?
પાનબાઈ

ગાંધી વિચારધારા મુજબ કાર્યરત વિશ્વવિદ્યાલયનું નામ આપો.
ગૂજરાત વિદ્યાપીઠ

ગુજરાતના ચાલુકય રાજવીઓ વિશે માહિતી આપતાં સંસ્કૃત કાવ્ય ‘કુમારપાલ ચરિત્રમ્’નાં રચયિતા કોણ છે?
હેમચન્દ્રાચાર્ય

ગુજરાતના હસ્તલિખિત ગ્રંથભંડારમાં કઇ એકમાત્ર લિપિ સચવાયેલી છે?   
પાંડુલિપી

ગુજરાતનો તપસ્વી’ કાવ્ય કોણે લખ્યું છે?
કવિ ન્હાનાલાલ

ગુજરાતનો મધ્યયુગીન ઇતિહાસ જાણવા માટે પ્રમાણભૂત ગણાતા ગ્રંથ ‘કાન્હડદે પ્રબંધ’ના રચયિતા કોણ છે?
કવિ પદ્મનાભ

ગુજરાતમાં બોલાતી ભાષાને ગુજરાતી તરીકે સૌપ્રથમ કોણે ઓળખાવી ?
પ્રેમાનંદ

ગુજરાતમાં વર્નાકયુલર સોસાયટીની સ્થાપના કોણે કરી ?
એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ

ગુજરાતમાં વિકસેલી કઇ જાણીતી લોકનાટ્યકળાનું નામ સંસ્કૃત શબ્દ ‘ભવ’ પરથી ઉતરી આવ્યું છે?
ભવાઇ

ગુજરાતી કવિ ભાલણ કયાંના વતની હતા ?
સિદ્ધપુર

ગુજરાતી કવિ મીઠ્ઠુ હંસે શંકરાચાર્યના કયા સ્તોત્રનો ગુજરાતી સમશ્લોકી અનુવાદ કર્યો છે ?
સૌન્દર્યલહેરી

ગુજરાતી કવિતા ક્ષેત્રે ‘મુકતધારા’ અને ‘મહાછંદ’નો સૌપ્રથમ પ્રયોગ કરનાર કોણ છે ?
અરદેશર ખબરદાર

ગુજરાતી કવિતા સાહિત્યમાં ‘મહાકવિ’ કે ‘કવિસમ્રાટ’ તરીકે કોણ ઓળખાય છે ?
કવિ ન્હાનાલાલ

ગુજરાતી કવિતાના આદિકવિનું બિરૂદ કોને મળ્યું છે?
નરસિંહ મહેતા

ગુજરાતી કવિતામાં ખંડકાવ્યોનો પ્રારંભ કોણે કર્યો ?
કવિ કાન્ત

ગુજરાતી ભાષા માટે સૌ પ્રથમ ‘ગૂર્જર ભાષા’ એવો શબ્દપ્રયોગ કરનાર કોણ છે ?
ભાલણ

ગુજરાતી ભાષા સાહિત્યના અધ્યયન-સંશોધન માટે કઇ સંસ્થાની સ્થાપના થઇ હતી?
સોશિયલ એન્ડ લિટરરી એસોશિયેશન

ગુજરાતી ભાષાના જાગૃત ચોકીદાર’ની ઉપમા કોને આપવામાં આવી છે?
નરસિંહરાવ દિવેટિયા

ગુજરાતી ભાષાના પ્રથમ કાવ્યસંગ્રહનું સંપાદન કોણે કર્યું?
દલપતરામ

ગુજરાતી ભાષાના પ્રાચીન હસ્તલિખિત પુસ્તકોના સંગ્રહ માટે કઇ સંસ્થા કાર્યરત હતી?
ફાર્બસ ગુજરાતી સભા

ગુજરાતી ભાષાની કઇ શૈલી માત્ર ન્હાનાલાલ કવિ પૂરતી જ મર્યાદિત રહી?
ડોલન શૈલી

ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથા કઇ છે?
મારી હકીકત

ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથા કોણે લખી?
નર્મદ

ગુજરાતી ભાષાની પ્રથમ હાસ્યનવલ આપનાર લેખક કોણ હતા?
રમણલાલ નીલકંઠ

ગુજરાતી ભાષાનો સર્વપ્રથમ વ્યાકરણગ્રંથ કોણે રચ્યો હતો?
હેમચંદ્રાચાર્ય

ગુજરાતી ભાષામાં ‘ટૂંકી વાર્તા’ સ્વરૂપ આપનાર સૌપ્રથમ સાહિત્યકાર કોણ હતા?
ધૂમકેતુ

ગુજરાતી ભાષામાં છાપકામ શરૂ થતાં સૌપ્રથમ કયું પુસ્તક છપાયું?
વિદ્યાસંગ્રહ

ગુજરાતી ભાષામાં લોકસાહિત્યના સર્વપ્રથમ સંશોધક-સંપાદક કોને ગણવામાં આવે છે?
ઝવેરચંદ મેઘાણી

ગુજરાતી સાહિત્ય

રમણલાલ સોનીનું ગુજરાતી સાહિત્યના કયા ક્ષેત્રમાં પ્રદાન છે ?
: બાળ સાહિત્ય

રસિકલાલ પરીખનું ‘શર્વિલક’ નાટક કયા સંસ્કૃત નાટકને આધારે રચાયું છે? :
મૃચ્છકટિકમ્

અખાએ અમદાવાદ આવીને કયાં વસવાટ કર્યો હતો?
: દેસાઈની પોળ

ગુજરાતી ભાષાના પ્રથમ કાવ્યસંગ્રહનું સંપાદન કોણે કર્યું?
: દલપતરામ

ગુજરાતી કવિતા ક્ષેત્રે મૂળ ઈટાલીના સોનેટનો સૌપ્રથમ પ્રયોગ કરનાર કોણ મનાય છે ? :
બળવંતરાય ક. ઠાકોર

ગુજરાતી સાહિત્યની પ્રથમ પરિષદ કયાં અને કયારે યોજાઇ હતી? :
અમદાવાદ-૧૯૦૫

ગુજરાતી ભાષાલેખન અને ગુજરાતી રૂપરચના કયા શતાયુ સાહિત્યકારનો બહુમૂલ્ય ફાળો છે? :
કેશવરામ કાશીરામ શાસ્ત્રી (કે. કા. શાસ્ત્રી)

ગુજરાતી સાહિત્યમાં સૉનેટ કાવ્ય રચના વિકસાવવામાં કોનો વિશેષ ફાળો છે? : બળવંતરાય ક. ઠાકોર

ગમ ગુજરાતનો તપસ્વી’ કાવ્ય કોણે લખ્યું છે? : કવિ ન્હાનાલાલ

શ્રીરંગ અવધૂત મહારાજનો સુપ્રસિદ્ધ ગ્રંથ કયો છે? :
શ્રી ગુરુલીલામૃત

કવિ નાકરનું વતન કયું હતું? :
વડોદરા

રમણલાલ વ. દેસાઈનો જન્મ કયાં થયો હતો ?
: શિનોર

ગુજરાતી ભાષા સાહિત્યના અધ્યયન-સંશોધન માટે કઇ સંસ્થાની સ્થાપના થઇ હતી?
: સોશિયલ એન્ડ લિટરરી એસોશિયેશન

ખંડકાવ્યનું સર્જન સૌપ્રથમ કોણે કર્યું હોવાનું મનાય છે? :
કવિ કાન્ત

ખોબો ભરીને અમે એટલું હસ્ચા કે કૂવો ભરીને અમે રોઇ પડ્યા’ ગીતના લેખક કોણ છે? :
જગદીશ જોશી

ગઝલકાર આદિલ મનસુરીની સૌપ્રથમ રચના કયા સામયિકમાં પ્રકાશિત થઇ હતી?
: કુમાર

૧૮૨૬માં પહેલ-વહેલી સ્થપાયેલી ગુજરાતી શાળાનાં સૌપ્રથમ શિક્ષક કોણ હતા?
: દુર્ગારામ મહેતા

Day to Day Gandhi’ નામની ડાયરી લખનાર ગુજરાતી કોણ હતા? :
મહાદેવભાઈ દેસાઈ

અખા ઉપર સૌથી વધારે પ્રભાવ કઈ વિચારધારાનો છે? :
શાંકરમત

અખા ભગતના ગુરુનું નામ શું હતું? :
બ્રહ્માનંદ

અખાએ અમદાવાદ આવીને કયાં વસવાટ કર્યો હતો? :
દેસાઈની પોળ

અખાએ ગીતા પર આધારિત કઈ નોંધપાત્ર કૃતિ રચી છે? :
અખેગીતા

અખાનો જન્મ કયાં થયો હતો?
: જેતલપુર (અમદાવાદ નજીક)

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ...’ - આ પદ કોનું છે? :
નરસિંહ મહેતા

અખો કઈ પરંપરાના સર્જક તરીકે જાણીતો છે? :
જ્ઞાનમાર્ગી કાવ્યધારા

અખો કોના શાસનમાં ટંકશાળમાં ફરજ બજાવતો હતો?
બાદશાહ જહાંગીર

અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ’ કોનું જીવનચરિત્ર છે? :
મહાદેવભાઇ દેસાઇ

અમદાવાદ શહેર મધ્યે મુસ્લિમ સાહિત્યને સાચવતી કઇ લાયબ્રેરી આવેલી છે? :
પીર મુહમ્મદશાહ લાયબ્રેરી

અર્વાચીન ગુજરાતી કાવ્યપ્રવાહમાં ‘PARODY’ પ્રતિકાવ્યનો પ્રયોગ કોણે કર્યો છે?
કવિ અરદેશર ફરામજી ખબરદાર

અર્વાચીન ગુજરાતી ભાષાનું પ્રથમ દેશભકિત કાવ્ય કોણે લખ્યું?
: કવિ દલપતરામ

અર્વાચીન ગુજરાતી મહાનવલકથા કઇ છે? તેના સર્જક કોણ છે?
સરસ્વતીચન્દ્ર - ગોવર્ધનરામ ત્રિપાઠી

અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં સુધારકયુગની પ્રથમ કાવ્યકૃતિ કઈ છે?
બાપાની પીંપર

અર્વાચીન યુગના અરૂણ’ તરીકે સુધારકયુગમાં કયા સર્જકને બિરદાવવામાં આવ્યા છે?
કવિ નર્મદાશંકર લાલશંકર દવે

આ નભ ઝુકયું તે કાનજી...’ ગીતના રચયિતા કોણ છે?
પ્રિયકાન્ત મણિયાર

આ મનપાંચમના મેળામાં...’ ગીતના કવિ કોણ છે?
રમેશ પારેખ

આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદના સિદ્ધાંત પર સંશોધન કાર્ય કરનાર ગુજરાતી ગણિતજ્ઞ ડૉ. પી.સી. વૈદ્યનું સંશોધન કાર્ય કયા નામે પ્રચલિત છે?
વૈદ્ય મેટ્રીકસ

આચાર્ય આનંદશંકર ધ્રુવ કયું સામયિક ચલાવતા ?
વસંત

આચાર્ય આનંદશંકર ધ્રુવનો જન્મ કયાં થયો હતો ?
અમદાવાદ

આચાર્ય આનંદશંકર ધ્રુવે કઈ યુનિવર્સિટીમાં ઉપકુલપતિ તરીકે હોદ્દો સંભાળ્યો હતો ?
વારાણસી હિન્દુ યુનિવર્સિટી

આટલા ફૂલો નીચે ને આટલો લાંબો સમય ગાંધી કદી સૂતો ન’તો. - કયા કવિની અનુભૂતિ છે?
કવિ હસમુખ પાઠક

આત્મ ઓઢે અને અગન પછેડીના દિગ્દર્શક કોણ હતા ?
કાંતિ મડીયા

આદિ શંકરાચાર્યના કયા શિષ્યએ દ્વારકામાં શારદાપીઠની સ્થાપના કરી હતી?
હસ્તમલકાચાર્ય

આશાવલના આશા ભીલને હરાવી કર્ણાવતી શહેરની સ્થાપના કોણે કરી?
કર્ણદેવ

આનંદ મંગળ કરું આરતી’ - નામી આરતી લખનાર કોણ છે ?
કવિ પ્રીતમ

આબુમાં આદિનાથનું આરસમંદિર કોણે બંધાવ્યુ હતું?
વિમલ મંત્રી

આર્યસમાજની સ્થાપના કોણે કરી હતી?
સ્વામી દયાનંદ સરસ્વતી

આંધળી માનો કાગળ’ કૃતિના લેખક કોણ હતા?
ઈન્દુલાલ ગાંધી

ઇ.સ. ૧૮૪૯ ગુજરાતી ભાષામાં પ્રથમ સાપ્તાહિક કોણે પ્રકાશિત કર્યું?
એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ

ઈડરના રાજા રણમલ્લનાં જીવન પર આધારિત કઈ કૃતિ રચાઈ છે ?
રણમલ્લ છંદ

ઈબ્રાહીમ પટેલનું ઉપનામ શું છે?
બેકાર

ઈંગ્લૅંડ જનારા સૌપ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ હતા?
મહિપતરામ નીલકંઠ

એક મુરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ’ - કાવ્યપંકિત કયા કવિની છે ?
જ્ઞાની કવિ અખો

ઉમાશંકર જોશીએ ‘આંખ, કાન અને નાકની કવિતા’ કહીને કયા કવિનો મહિમા કર્યો છે?
કવિ પ્રહલાદ પારેખ

ઉમાશંકર જોશીએ અખાને કેવો કવિ કહ્યો છે ?
હસતો ફિલસૂફ

ઉમાશંકર જોશીએ વિસાપુર જેલમાંથી સૌ પહેલું કયું એકાંકી લખ્યું હતું ?   
શહીદનું સ્વપ્ન

ઉમાશંકર જોશીના એકાંકી સંગ્રહનું નામ આપો.
સાપના ભારા અને હવેલી

ઉમાશંકર જોશીનું ઉપનામ જણાવો.
વાસૂકી

ઉશનસ્ કયા કવિનું ઊપનામ છે ?
નટવરલાલ પંડયા

ભવાઈની શરૂઆત કોણે, ક્યારે કરી હતી ?
- બ્રાહ્મણ અસાઈતે પંદરમી સદીમાં.

લોકકલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે?
: ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર

કયા મહારાષ્ટ્રીયન કવિએ ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે ? :
બાપુસાહેબ ગાયકવાડ