Tuesday 3 November 2015

ગુજરાતી સાહિત્ય

પ્રબોધ બત્રીસી’ કૃતિના રચયિતા કોણ છે?
કવિ માંડણ બંધારો

પ્રાકૃતમાંથી ફેરફાર પામી આવેલી ભાષા કયા નામે ઓળખાય છે ?
અપભ્રંશ

પ્રેમાનંદ માટે ‘A Prince of Plagiarists’ - આવું વિધાન કોણે કર્યુ છે ?
કનૈયાલાલ મુનશી

પ્રેમાનંદ મૂળ કયાંના વતની હતા ?
વડોદરા

પ્રેમાનંદની ‘મામેરું’ કૃતિ કોના જીવન સાથે જોડાયેલી છે ?
નરસિંહ મહેતાની દીકરી કુંવરબાઈ

પ્રેમાનંદની કઈ કૃતિ દર શનિવારે ગવાતી હતી?
સુદામાચરિત્ર

પ્રેમાનંદની પ્રખ્યાત કૃતિ કઇ છે?
ઓખાહરણ

પ્રેમાનંદે જીવનનિર્વાહ અર્થે કયો વ્યવસાય સ્વીકાર્યો હતો ?
સોની

ફરીદ મહમદ ગુલામનબી મન્સુરીનું ઉપનામ જણાવો.
આદિલ

બ્રહ્મ સત્ય, જગત મિથ્થા’ - આ કૈવલાદ્વૈતનાં સિદ્ધાંતનું પ્રતિપાદન કરનાર કવિ કોણ છે?
જ્ઞાની કવિ અખો

ભકત કવયિત્રી ગંગાસતીનું વતન કયું હતું?
સમઢિયાળા (જિ. ભાવનગર)

ભકત કવયિત્રી મીરાંબાઈએ જીવનનો અંતિમ સમય ગુજરાતની કઇ પ્રાચીન નગરીમાં વિતાવ્યો હતો ?
દ્વારિકા

ભકત કવિ નરસિંહ મહેતાની કવિતા પર કઈ વિચારધારાનો પ્રભાવ છે?
પ્રેમલક્ષણા ભકિત

ભકત કવિયત્રી મીરાં કઈ સાલમાં ગુજરાતની દ્વારિકા નગરીમાં આવીને વસ્યાં હતાં?
ઈ.સ.૧૫૩૭

ભગવાન શિવે પ્રસન્ન થઈ નરસિંહ મહેતાને શેના દર્શન કરાવ્યા હતા?
રાસલીલા

ભગવાન શ્રીકૃષ્ણે ગુજરાતમાં આવીને કઇ નગરી વસાવી?
દ્વારિકા

ભગવાનનો ભાગ’ના સર્જક કોણ છે ?
રમેશ પારેખ

ભટ્ટ વલ્લભ મેવાડાની પદરચનાઓ કયા નામે જાણીતી છે?
શકિતની ભકિત

ભદ્રંભદ્ર’ નવલકથાના મુખ્ય પાત્રનું નામ જણાવો.
ભદ્રંભદ્ર

ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજીશું શ્રીગોપાળ’ - એ ઉદગાર કયા ભકત કવિના છે ?
નરસિંહ મહેતા

ભવાઇના આદ્યપિતા અસાઇત ઠાકર કઇ સદીમાં થઇ ગયા?
૧૫મી સદી

ભવાઇના આદ્યપિતા અસાઈત ઠાકર નાત બહાર મૂકાયા બાદ કયાં આવીને વસ્યા હતા ?
ઊંઝા

ભવાઇના આદ્યપિતા ગણાતા અસાઈત ઠાકર મૂળ કયાંના વતની હતા ?
સિદ્ધપુર

ભવાઈમાં ભાગ લેનાર કલાકારો કયા નામે ઓળખાય છે?
ભવૈયા

ભવાઈમાં સ્ત્રીપાત્રો ભજવનાર પુરુષમંડળી કયા નામે ઓળખાતી ?
કાંચળિયા

ભારતીય પ્રાચીન સાંસ્કૃતિક વારસો અને તેનો મહાન વૈભવ ‘દર્શક’ ના કયા ગ્રંથમાં આલેખાયેલો છે?
આપણો વારસો અને વૈભવ

ભારેલો અગ્નિ’ અને ‘દિવ્ય ચક્ષુ’ જેવી કલાત્મક નવલકથાના લેખક કોણ છે ?
રમણલાલ વ. દેસાઈ

ભાલણે ‘આખ્યાન’ સંજ્ઞા સૌપ્રથમવાર કઈ કૃતિમાં ઉપયોગમાં લીધી હતી ?
નળાખ્યાન

ભાવનગર રાજય તરફથી કયા કવિને ‘રાજકવિ’નું બિરુદ અપાયું હતું?   
કવિ દલપતરામ

ભાવનગરના કયા દીવાનને લોકો આજે પણ તેમની તિક્ષ્ણ બુદ્ધિપ્રતિભા અને લોકોપયોગી કાર્યોને કારણે યાદ કરે છે?
પ્રભાશંકર પટ્ટણી

ભ!ષાને શું વળગે ભૂર’ - એવું કોણે કહ્યું છે ?
જ્ઞાની કવિ અખો

મણિલાલ દ્વિવેદીની ‘ગુલાબસિંહ’ કઈ અંગ્રેજી નવલકથાનો ભાવાનુવાદ છે?
લૉર્ડ લિટનની -‘ઝેનોની’

મધ્યકાલિન ગુજરાતી સાહિત્યમાં ‘જ્ઞાનનો ગરવો વડલો’ કોણ માનવામાં આવે છે ?
અખા ભગત

મધ્યકાલીન કવિ નાકર કયાંનો વતની હતો ?
વડોદરા

મધ્યકાલીન ગુજરાતી કવિ પ્રીતમનો જન્મ કયાં થયો હતો ?
બાવળા

મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનાં ઉષાકાળે પ્રથમ સ્મરણીય નામ કોનું લેવાય છે ?
હેમચંદ્રાચાર્ય

મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનાં કયા કવિ નિરક્ષર હતા ?
કવિ ભોજા ભગત

મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની પહેલી વાર્તા કઈ ગણાય છે ?
હંસરાજ-વચ્છરાજ ચઉપઈ

મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની સૌથી જૂની કૃતિ કઈ ગણાય છે ?
ભરતેશ્વર-બાહુબલિરાસ

No comments:

Post a Comment