Saturday 28 May 2016

સામાન્ય જ્ઞાન


1. આર્યસમાજે હિંદુઓને હિંદુ ધર્મમાં પાછા લાવવા માટે કઈ ચળવળ શરૂ કરી ?
-શુદ્ધિ ચળવળ

2. કોના પ્રયાસોને લીધે અંગ્રેજ સરકારે ઇ.સ. 1891 માં લગ્ન માટે પુખ્ત વયનો કાયદો ઘડ્યો ?
-બહેરામજી મલબારીના

3. રાજા રામમોહનરાયે બંગાળી ભાષામાં ક્યું સમાચારપત્ર શરૂ કર્યું હતું ?
-સંવાદકૌમુદી

4. સૈયદ અહમદખાને અને શરીઅતુલ્લાએ કયું આંદોલન ચલાવ્યું હતું ?
-વહાબી

5. કઈ ઘટનાએ રાજા રામમોહનરાયને ખૂબ અસર કરી ?
-ભાભીની સતી થવાની

6. કોના જાગીરી હક અંગેના કેસ બાબતે રાજા રામમોહનરાય ઈંગ્લૅન્ડ ગયા ?
-દિલ્લીના બાદશાહના

7. રાજા રામમોહનરાયનું મૃત્યું ક્યાં થયું ?
-બ્રિસ્ટોલ મુકામે

8. ભારતમાં સતીપ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો કોણે ઘડ્યો ?
- લોર્ડ વિલિયમ બૅન્ટિંકે

9. કઈ સાલમાં સતીપ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડાયો ?
-ઈ.સ. 1829માં

10. અંગ્રેજી કેળવણી પામેલા પારસી યુવાનોએ ધર્મ અને સમાજસુધારણા માટે કઈ સભાની સ્થાપના કરી ?
-રહનુમા-ઈ-મઝદયરબન

No comments:

Post a Comment