Monday 27 June 2016

સામાન્ય જ્ઞાન(બંઘારણ)

  1. ઇ. સ. ૧૮૯૫માં બાલ ગંગાધર તિલકે મૂળભૂત અધિકારોની માંગ કરી હતી.
  2. સ્વતંત્ર ભારતના પ્રથમ કાયદા પંચની સ્થાપના ઇ. સ.૧૯૫૫ માં થઇ હતી.
  3. ભારતીય બંધારણમાં અનુચ્છેદ -૩૩૮ અંતર્ગત અનુસૂચિત જતી માટે એક રાષ્ટ્રીય પંચની જોગવાઈ થયેલ છે.
  4. ભારતીય બંધારણનો ૧૦૦ મો સુધારા વિધેયક ભારત બાંગ્લાદેશ વચ્ચે ભૂમિ સીમા સમજૂતી(LBA-લેન્ડ બાઉન્ડ્રી એગ્રીમેન્ટ) સાથે સંબધિત છે.
  5. મહાત્મા ગાંધીના સિધ્ધાંતોને આધારે શરુ થયેલ લોક અદાલતની શરૂઆત ૧૪ માર્ચ,૧૯૮૨ ના રોજ ગુજરાત રાજ્યના જૂનાગઢ ખાતે થઈ હતી.
  6. રાજયમાં રાજ્યપાલ પદની જોગવાઈ અનુચ્છેદ -૧૫૩ માં છે.
  7. જાહેર હિસાબ સમિતિમાં ૧૯૬૭ થી વિરોધપક્ષના કોઈ પણ સભ્યને તેનો અધ્યક્ષ બનાવવામાં આવે છે.
  8. રાષ્ટ્રીય પંચાંગનો સ્વીકાર ૨૨ માર્ચ ૧૯૫૭ ના રોજ થયો હતો.
  9. મુસદ્દા સમિતિની રચના ૨૯ ઓગસ્ટ,૧૯૪૭ના રોજ થઇ હતી.
  10. ભારતીય બંધારણ વિશ્વના ૬૦ જેટલા દેશોના બંધારણ પરથી બનાવાયું હોવાથી તેને 'બેગ ઓફ બોરોઇન્ગ્સ' પણ કહેવાય છે.
@શૈલ ૫રમાર@

No comments:

Post a Comment