Monday 6 June 2016

ગરવી ગુજરાતના મુખ્યમંત્રીઓ

      ★ડૉ. જીવરાજ મહેતા★

★★જય જય ગરવી ગુજરાત સંકલન કરનાર-અનિરુદ્ધસિંહ.★★

●ગુજરાત વિધાનસભાની પ્રથમ ચૂંટણી – પુનઃ મુખ્યમંત્રી – 1962

●પંચાયત અધિનિયમ, 1961 નું 1 એપ્રિલ, 1963થી અમલીકરણ

●વડોદરા(બાજવા) ખાતે Gujarat State Fertilizer Company ની સ્થાપના

●ગુજરાત યુનિવર્સિટી વિધેયક,

●ફરજિયાત પ્રાથમિક શિક્ષણ વિધેયક,

●સહકારી મંડળી વિધેયક

●19 સપ્ટેમ્બર, 1963 – રાજીનામું

°°°°°°°°°°°°°°°°°°°°શૈલ°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

     ◆બળવંતરાય મહેતા◆

●રાજ્યમાં સ્વતંત્રતાની ચળવળ ચલાવવા ૧૯૨૧ માં ભાવનગર પ્રજામંડળની સ્થાપના કરી હતી.

●સંસદના અંદાજ સમિતિ ચેરમેન હતા.

●ધુવારણ વીજળી મથક

●વડોદરા –કોયલી રીફાઈનરી

●GIDC

●તેમણે શૈક્ષણિક સંસ્થા ‘ભારતીય વિદ્યા ભવન’ની સ્થાપના કરી હતી.

●લોકશાહી વિકેન્દ્રીકરણ તરફે તેમના યોગદાન માટે “પંચાયતી રાજ શિલ્પી” તરીકે ગણવામાં આવે છે.

●1965માં ભારત – પાકિસ્તાન યુદ્ધ સમય દરમ્યાન કચ્છની સરહદે વિમાની નિરીક્ષણમાં 19 સપ્ટેમ્બરના રોજ વિમાન તોડી પાડવામાં આવતાં મૃત્યું.

●ટપાલ વિભાગ, ભારત સરકાર તરફથીઓગણીસમી ફેબ્રુઆરી, ૨૦૦૦ ના દિને તેમના ૧૦૦મી જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે એમનો ચહેરો દર્શાવતી અને ૩ (ત્રણ) રૂપિયા કિંમતની એક ખાસ ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવેલ છે.
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
°°°°°°°°°°°°°°°°°°°°શૈલ°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
      ◆હિતેન્દ્રભાઈ દેસાઈ◆

●દેવસ્થાન ઈનામ નાબૂદીનો કાયદો

●પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટે મફત છાત્રાલયો, શિષ્યવૃત્તિઓ અને ફી માફી

●ગુજરાતનાં આ ત્રીજા મુખ્યમંત્રીની પ્રતિભાને કારણે ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ દૈનિકે તેઓને ‘સી. એમ. વીથ રીગલ લુક’નું બિરુદ આપ્યું હતું.

● તેમનાં શાસન દરમિયાન રાજ્યમાં મફત કન્યા શિક્ષણની શરૂઆત થઈ.

●વલસાડની પારડીની ઘાસિયા જમીનના પ્રશ્નનું નિરાકરણ

●શહીદ સ્મારકના પ્રશ્નનું નિરાકરણ … બ્રહ્મકુમાર ભટ્ટના પ્રયત્નોથી સરદાર ભવનના ખૂણામાં સ્મારક માટે મંજૂરી આપવામાં આવી.

●માધ્યમિક શિક્ષણ મફત

●વડોદરા ખાતે ભારતના પ્રથમ IPCLની સ્થાપના

●રાજીનામું અને 13 મે, 1971 રાષ્ટ્રપતિ શાસન
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
°°°°°°°°°°°°°°°°°°°°શૈલ°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

  ◆ઘનશ્યામભાઈ ઓઝા◆

●માધ્યમિક શિક્ષણ વિધેયક બિલ પસાર થતાં માધ્યમિક શિક્ષણ બોર્ડની રચના થઈ.

●હાઉસિંગ બોર્ડની રચના

●આદિજાતિ વિકાસ
કોર્પોરેશનની રચના
°°°°°°°°°°°°°°°°°°°°શૈલ°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

       ◆ચીમનભાઈ પટેલ◆

●ગુજરાતના સૌથી નાની વયના મુખ્યમંત્રી

●પોતાને છોટે સરદાર તરીકે ઓળખાવતા શ્રી ચીમનભાઈ પટેલે નર્મદાના નીર ગુજરાતમાં લાવવા માટે અનેકવિધ સંનિષ્ઠ પ્રયાસો કર્યા હતાં.

●જનતાદળ(ગુજરાત) નામનો નવો પક્ષ રચ્યો.

●‘નયા ગુજરાત’ નું સ્વપ્ન

●રોટી રમખાણ અને નવનિર્માણ આંદોલન

●નવનિર્માણ શબ્દ પુરુષોત્તમ માવળંકરે આપ્યો હતો.

●નવનિર્માણ આંદોલનને કારણે 9 ફેબ્રુઆરી, 1974ના રોજ રાજીનામું.

°°°°°°°°°°°°°°°°°°°°શૈલ°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

       ◆બાબુભાઈ જશાભાઈ પટેલ■

●પ્રથમ બિનકોંગ્રેસી મુખ્યમંત્રી

●60 વર્ષથી ઉપરની નિરાધાર મહિલાઓ અને 65 વર્ષથી ઉપરના નિરાધાર પુરૂષો માટે પેન્શનની યોજના શરૂ કરી.

●લોકપાલ-લોકાયુક્તની નિમણૂંક માટે પગલાં.

●દરેક જિલ્લામાં દૂધની ડેરીઓની સ્થાપના કરી.

●ગાંધીનગરને અત્યાધુનિક પાટનગર બનાવવામાં સિંહફાળો.

●કિસાન મજદૂર લોક પાર્ટી બનાવી અને જનતા મોરચા સાથે મળી 1975માં કોંગ્રેસને હાર આપી મુખ્યમંત્રી બન્યા.

●1979માં મોરબીમાં મચ્છુ ડેમ તૂટવાની ઘટના

●ભાવનગર યુનિ.ની સ્થાપના

●શિક્ષણમાં 10+2+3ની પદ્ધતિ દાખલ

●અન્ય પછાત જ્ઞાતિઓ માટે 10% અનામત રાખવાનો નિર્ણય… જાન્યુઆરી, 1978

●બઢતીમાં રોસ્ટર પદ્ધતિ દાખલ કરી.

●પોલીસ યુનિયનને માન્યતા આપી હતી, જે 1988માં રદ કરાઈ.

●અંત્યોદય યોજના

●તેમના સમય દરમ્યાન બે વાર રાષ્ટ્રપતિ શાસન અમલમાં આવ્યું.
°°°°°°°°°°°°°°°°°°°°શૈલ°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

      ◆માધવસિંહ સોલંકી◆

●નરેન્દ્ર મોદી અને તેઓ સૌથી વધુવાર મુખ્યમંત્રી બનનાર.

●પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરનાર પ્રથમ મુખ્યમંત્રી

●બક્ષીપંચ બોર્ડ,

● ગોપાલક બોર્ડ,

● માલધારી બોર્ડની રચના તથા

●સાહિત્ય અકાદમીની નવેસરથી રચના.

●કેન્દ્ર સરકારમાં વિદેશમંત્રી પદે કાર્ય કરનાર

● ‘ફૂડ ફાર વર્ક’ની યોજના,

●વહીવટીતંત્રમાં એક બારી(‘સિંગલ વિન્ડો’)ની પદ્ધતિ,

●પંચાયતો સ્વભંડોળમાંથી અમુક રકમ પોતાને અનુકૂળ કામમાં વાપરી શકે તેવી યોજનાઓ શરૂ કરાવી હતી.

●તેઓએ ગરીબ પુરુષોને ધોતિયા તો મહિલાઓને મફત સાડી આપવાની યોજના અમલી બનાવી હતી.

●KHAM થિયરી…ક્ષત્રિય, હરિજન, આદિવાસી, મુસ્લિમ. આ તરાહના જનક તરીકે
◆માધવસિંહ,
◆સનતભાઈ અને
◆ઝીણાભાઈ દરજીને ગણવામાં આવે છે.

●તેમના સમયમાં અનામત બેઠકોન ભરાય તો કેરી ફોરવર્ડ કરવાની પદ્ધતિ દાખલ કરવામાં આવી.આનો વિરોધ થયો.

●આ સિવાય રોસ્ટરનો પણ આ સમયે વિરોધ થયો. ગુજરાતમાં તોફાનો થયાં. આખરે 13/04/1981થી કેરી ફોરવર્ડ પ્રથા રદ કરવામાં આવી.

●સરદાર સરોવર માટે વર્લ્ડ બેન્ક પાસેથી 500 કરોડની લોન લઈ બાંધકામ શરૂ કરવામાં આવ્યું.

●ગુજરાત ઉદ્યોગોના વિકાસમાં દેશમાં આઠમા નંબરેથી બીજા નંબરે આવ્યું.

●પછાત વર્ગ માટે કુટુંબપોથી

●મધ્યાહન ભોજન યોજનાની શરૂઆત

●ધોરણ 5થી પ્રાથમિક શાળામાં અંગ્રેજી શીખવવાની શરૂઆત.

●યુનિવર્સિટી સુધી કન્યા શિક્ષણ મફત..

●તેમાં નાણામંત્રી સનત મહેતાનો પણ ફાળો.

●GNFCનું કારખાનું ભરૂચમાં શરૂ કરવામાં આવ્યું.

●સામાજિક અને આર્થિક પંચની રચના (1981) અને તેની ભલામણોનો વિરોધ(1982)

●અનામત આંદોલનના કારણે 6/7/1985ના રોજ રાજીનામું આપ્યું.
°°°°°°°°°°°°°°°°°°°°શૈલ°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

       ◆અમરસિંહ ચૌધરી◆

●11 એપ્રિલ, 1988માં નર્મદા કોર્પોરેશનની રચના કરી

●સનત મહેતાને તેના અધ્યક્ષ બનાવ્યા.

●પોલીસ યુનિયનની માન્યતા રદ કરી.

●ગુજરાતના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી

●પ્રાથમિક શાળાના  બાળકોને મફત પાઠ્યપુસ્તકો

●ગુજરાત લોકસભામાં કોંગ્રેસના હારના પગલે પોતાની નૈતિક જવાબદારી સમજી રાજીનામું આપ્યું.
°°°°°°°°°°°°°°°°°°°°શૈલ°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

        ◆શંકરસિંહ વાઘેલા◆

◆રાષ્ટ્રીય જનતા પક્ષ નામે નવા પક્ષની રચના કરી

●44 જેટલા ધારાસભ્યોને ખજૂરાહો લઈ ગયા.

●આ વિવાદ હજૂરિયા ખજૂરિયા તરીકે ઓળખાય છે.

●2 ઓક્ટોબર, 1997ના રોજ
∆આણંદ,
∆દાહોદ,
∆નર્મદા,
∆નવસારી,
∆પાટણ અને
∆પોરબંદર
એમ કુલ 6 નવા જિલ્લાઓની રચના કરી.
°°°°°°°°°°°°°°°°°°°°શૈલ°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

            ◆ કેશુભાઈ પટેલ◆

●૪ ઓગસ્ટ ૨૦૧૨ના રોજ તેમણે ગુજરાત વિધાનસભાની ચૂંટ્ણી માટે “ગુજરાત પરીવર્તન પાર્ટી” નામે એક નવો રાજકીય પક્ષ સ્થાપ્યો

●અને ભાજપમાંથી રાજીનામું આપ્યું.

●તેઓએ વર્ષોથી બંધ કાપડ મિલોનાં કામદારોના બાકી પડતા લેણાં અંગે કેન્દ્ર સરકાર સાથે વાટા-ઘાટો કરી તેમના માટે વળતર રિન્યુઅલ ફન્ડની યોજના તૈયાર કરી તેને અમલી બનાવી અને મિલોના સેંકડો કામદારોને નોકરીના નિવૃત્તિનાં નાણાંકીય લાભો આપ્યાં.

●તેમના શાસનમાં ગુજરાતમાં વિક્રમજનક એક લાખ ચોંત્રીસ હજાર ચેકડેમો બંધાયાં.

●તેમના શાસનકાળમાં સૌથી મહત્ત્વનું કાર્ય આક્ટ્રોય નાબૂદીનું થયું હતું.

●ઈન્ફોટેક નીતિ અમલમાં લાવ્યા.

●પાસા નામનો કડક કાયદો

●સરસ્વતી સાધના યોજના

●ગોકુળગ્રામ યોજના

●કચ્છના ધરતીકંપ બાદ પુનર્વ્યવસ્થાના વિલંબને કારણે સત્તા પરિવર્તન.
°°°°°°°°°°°°°°°°°°°°શૈલ°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

       ◆ નરેન્દ્રભાઈ મોદી◆

★સૌથી વધુ સમય માટે મુખ્યમંત્રી
★‘નેનો’નો સાણંદ ખાતે પ્રોજેક્ટ સ્થપાયો.
★આંતર રાષ્ટ્રીય પતંગોત્સવ,
★કચ્છ રણોત્સવ,
★ઈન્ડસ્ટ્રીયલ કૌશલ્યવર્ધન કેન્દ્ર,
★વાંચે ગુજરાત,
★સ્કોપ,
★ગરીબ કલ્યાણ મેળા,
★ખેલ મહાકુંભ,
★બેટીબચાવો અભિયાન,
★પંચામૃત યોજના
★રાષ્ટ્રીય શિક્ષણ સમિટ,
★રાષ્ટ્રીય આયુર્વેદિક સમિટ,
★વાઈબ્રન્ટ સમિટ,
★મુખ્યમંત્રી અમૃતમ(મા) યોજના,
★સુજલામ સુફલામ યોજના,
★માતૃવંદના યોજના,
★ઘરદીવડા યોજના,
★વનબંધુ કલ્યાણ યોજના,
★માતૃ વંદના– પ્રજનન અને બાળ આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત પ્રતિબંધક અને ઉપચારાત્મક સેવાઓ ઉપલબ્ધ કરાવે છે

★બાળભોગ યોજના ,
★સાગરખેડુ યોજના,
★નિર્મળ ગુજરાત,
★સ્ટેચ્યુ ઓફ યુનિટી,
★સૌની યોજના,
★જ્યોતિગ્રામ યોજના,
★સ્વાગત ઓનલાઈન,
★કૃષિ મહોત્સવ,
★રોજગાર મેળા,
★મિશન મંગલમ,
★આપણો તાલુકો વાઈબ્રન્ટ તાલુકો,
★મમતા અભિયાન,
★ગુણોત્સવ,
★નારી ગૌરવ નીતિ,
★પંચવટી યોજના,
★તીર્થગ્રામ-પાવન ગામ,
★ઈ-ગ્રામ વિશ્વ ગ્રામ યોજના,
★કુંવરબાઈનું મામેરુ,
★ચિરંજીવી યોજના,
★કર્મયોગી અભિયાન,
★સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન વગેરે.
°°°°°°°°°°°°°°°°°°°°શૈલ°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

       ◆આનંદીબેન પટેલ◆

●ગતિશીલ ગુજરાત…

●એથલેટિક્સમાં ઉત્કૃષ્ટ દેખાવ બદલ ‘વીરબાળા’ પુરસ્કાર મળેલ છે.

●ગુજરાત સરકારમાં સને. ૨૦૦૭ થી ૨૦૧૪ દરમિયાન શિક્ષણ, માર્ગ અને મકાન બાંધકામ, મહેસૂલ, શહેરી વિકાસ વગેરે જેવા મંત્રાલયોનાં કેબિનેટ મંત્રી તરીકેની જવાબદારીઓ સંભાળી હતી.

★★જય જય ગરવી ગુજરાત સંકલન કરનાર-અનિરુદ્ધસિંહ.★★

°°°°°°°°°°°°°°°°°°°°શૈલ°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

No comments:

Post a Comment