Friday, 22 July 2016

સામાન્ય જ્ઞાન

【શૈલ પરમાર】

૧.   ગુજરાત સરકારે ઇન્ફોર્મેશન ટેક્નોલોજીમાં હરણફાળ ભરવા માટે ગુજરાત ઇન્ફોર્મેટિક લિ. નામની સંસ્થા ગાંધીનગરમાં ક્યાં વર્ષે શરુ કરી હતી?
-૧૯૯૯

૨.   ગુજરાતના ક્યાં તળાવમાંથી ગોપીચંદન મળી આવે છે?
-બેટદ્વારકાના ગોપી તળાવમાંથી

૩.   દાંત પડી ના જાય અથવા તો મજબૂત રહે તે માટે ઘણીવાર પાણીમાં ક્યું રસાયણ ઉમેરવામાં આવે છે?
-ફ્લોરાઇડ

૪.   ક્યાં આલ્કોહોલમાં પાણીનું પ્રમાણ ઓછું હોઈ છે?
-બિયર

૫.   એસિડિકતાનું માપક્રમ કયો છે?
-પીએચ(PH)

૬.   ભારતના ક્યા ક્રાંતિવીરે ભાવનગરમાં મોતીબાગ અખાડાની વ્યાયામશાળાને કર્મભૂમિ બનાવીને વ્યાયામ પ્રવુતિઓમાં અનેક યુવાનોને તૈયાર કર્યા હતા?
-પૃથ્વીસિંહ આઝાદ

૭.   ડૉ.બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીની સ્થાપના ક્યાં વર્ષે કરવામાં આવી?
-૧૯૯૪માં

૮.   ગુજરાતમાં સૌપ્રથમ કન્યાઓ માટેની સૈનિક શાળા ક્યાં શરુ કરવામાં આવી?
-ખેરવા(જિ.-મહેસાણા)

૯.   બંધારણમાં ખેતીને કઈ યાદીમાં રાખવામાં આવેલ છે?
-સંયુક્ત

૧૦.   નિયમિત બજેટ પાસ થાય તે પહેલા આગામી નાણાકીય વર્ષના કેટલાક અનુમાનિત ખર્ચ માટે સંસદ દ્વારા કરાતી વ્યવસ્થાને શું કહે છે?
-લેખાનુદાન

◆શૈલ પરમાર@૯૭૨૩૧ ૩૯૬૦૦◆

No comments:

Post a Comment